Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ઈદ-એ-મિલાદુન્નબીની ઉજવણીની તૈયારી
આગામી તા. પાંચ સપ્ટેમ્બર, શુક્રવારના ઈદે-એ-મિલાદુન્નબી પયગમ્બર મોહમ્મદનો પવિત્ર દિવસ આવી રહ્યો હોવાથી મુસ્લિમ સમાજ ઉજવણી કરવા થનગની રહ્યો છે. આથી ચાલુ વર્ષ આશિકોમાં ગજબનો થનગનાટ જોવા મળે છે. હાલ જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલ રબ્બાની પાર્ક, સિલ્વર પાર્ક, તારમામદ સોસાયટી, પાંચહાટડી વિસ્તાર, મકવાણા સોસાયટી વિસ્તાર, નૂરી પાર્ક, મહારાજ સોસાયટી, ગરીબ નવાઝ સોસાયટી, ઘાંચીની ખડકી, વાઘેરવાડો, સુમરાચાલી, બેડી, ધરારનગર, ખોજા ગેટ, નવાગામ ઘેડ તેમજ જામનગર શહેર મુસ્લિમની આન-બાન-શાન જુમ્મા મસ્જિદ, રતનબાઈ મસ્જિદ અને માંડવી ટાવર મસ્જિદ સહિત મુસ્લિમ વિસ્તારમાં આવેલ તમામ મસ્જિદો, મહોલ્લા તથા ઘર વગેરેમાં રોશની કરવામાં આવી રહી છે. પરંપરા મુજબ જામનગરમાં નક્કી કરેલા સમયે ઈદ-એ-મિલાદુન્નબી નિમિત્તે તા. પાંચ સપ્ટેમ્બર, ર૦રપ, શુક્રવારના ભવ્ય જુલુસ કાઢવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial