Advertisement
Author: નોબત સમાચાર

પત્નીના અવસાન પછી જીવન એકલવાયું લાગતા દલદેવરીયામાં વૃદ્ધનો ગળાફાંસો

મૃતકના સંબંધીનું નોંધાયું નિવેદનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામજોધપુરના દલદેવરીયા ગામમાં વસવાટ કરતા એક વૃદ્ધે પત્નીના બીમારીના કારણે અવસાન પછી એકલવાયા જીવનથી કંટાળી જઈ ગઈકાલે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.

જામજોધપુર તાલુકાના દલદેવરીયા ગામમાં હરીજનવાસમાં રહેતા પાલાભાઈ ભોજાભાઇ વાલવા ઉર્ફે બલાભાઇ નામના ૬૨ વર્ષના વૃદ્ધે રવિવારે સાંજે પોતાના ઘરે પ્લાસ્ટિકની દોરી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ થતાં આ વૃદ્ધને નીચે ઉતારી ચકાસવામાં આવતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. આ બાબતની પોલીસને જાણ કરવામાં આવતા દોડી આવેલી શેઠવડાળા પોલીસે પંકજભાઈ સોમાભાઈ વાલવાનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ પાલાભાઈના પત્ની શાંતાબેનનું કેન્સરની બીમારીના કારણે દોઢેક મહિના પહેલાં મૃત્યુ થયું હતું. પત્નીના અવસાન પછી એકલવાયું જીવન જીવતા પાલાભાઈ બેચેન રહેતા હતા અને તેનાથી કંટાળી જઈ તેઓએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે નિવેદન પરથી તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh