Advertisement
Author: નોબત સમાચાર

ધર્મોત્સવના આયોજક જ્યોતિષાચાર્ય સંદીપભાઈ શુક્લનું બ્રહ્મસમાજ દ્વારા સન્માન

ધોરાજીમાં બ્રહ્મચોર્યાસી તથા સંત સન્માન ઉત્સવઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: રાજકોટના ધોરાજીમાં લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવનમાં જ્યોતિષાચાર્ય સંદિપભાઈ શુક્લ દ્વારા બ્રહ્મચોર્યાસી તથા સંત સન્માન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્રહ્મસમાજના લોકો તથા અનેક સાધુ-સંતોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.

સંદિપભાઈ દ્વારા પ્રતિવર્ષ શ્રાવણ માસમાં એક જ્યવતિર્લિંગ મંદિરે અનુષ્ઠાન કરી તેની સંપન્નતાના ઉપક્રમે બ્રહ્મભોજન યોજવામાં આવે છે એ પરંપરા અનુસાર આ વર્ષે તેમણે મહારાષ્ટ્રના પરલીમાં આવેલ શ્રી વૈદ્યનાથ જ્યોતિર્લિંગ મંદિરે સમગ્ર શ્રાવણ માસ પૂજા-અનુષ્ઠાન કરી દેવાધિદેવ મહાદેવની આરાધના કરી હતી. જે પછી ભાદરવા મહિનામાં રાધાષ્ટમીના દિને આયોજીત બ્રહ્મચોર્યાસીમાં ૧૧૦૦ થી વધુ બ્રાહ્મણોએ તથા વિવિધ સાધુ-સંતોએ પણ મહાપ્રસાદનો લાભ લીધો હતો.

આ તકે બ્રહ્મસમાજ દ્વારા સંદિપભાઈ શુક્લ 'જય ગિરનારી'ને સાધુ-સંતોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી 'ઋષિ તપસ્વી'નું બિરૂદ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh