Advertisement
Author: નોબત સમાચાર

જામનગર ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા હવન-પૂજનનું આયોજન

વિશ્વકર્મા પૂજન દિવસ નિમિત્તે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧પઃ જામનગર ગુર્જર સંતાર જ્ઞાતિ દ્વારા વિશ્વકર્મા પૂજન દિવસ નિમિત્તે હવન તથા પૂજનનું આયોજન તા. ૧૭/૯ ને બુધવારે સવારે ૭ થી ૧ર વાગ્યા દરમિયાન શ્રી વિશ્વકર્મા મંદિર, પંચેશ્વર ટાવર રોડ, જામનગરમાં કરવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે તેમની સુખાકારી અને દીર્ઘાયુષ્ય માટે મહાઆરતી બપોરે ૧ર વાગ્યે કરવામાં આવશે.

સાંસદ પૂનમબેન માડમ તથા જા.ગુ.સુ. જ્ઞાતિના પ્રમુખ રમણિકભાઈ ગોરેચાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ તકે મુખ્ય મહેમાન તરીકે ભાજપના જામનગર શહેર પ્રમુખ બિનાબેન કોઠારી તથા અતિથિવિશેષ તરીકે મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ધારાસભ્યો રિવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી, સ્ટે. કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે તેમ જા.ગુ.સુ. જ્ઞાતિ નિયામક સમિતિના પ્રમુખ રમણિકભાઈ ગોરેચા અને કાર્યવાહક સમિતિના પ્રમુખ ભરતભાઈ વડગામા દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh