Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના પુત્રનું પોલીસે નોંધ્યંુ નિવેદનઃ
જામનગર તા. ૧૨: લાલપુરના આરબલુસમાં વસવાટ કરતા એક મહિલાએ ગયા રવિવારની સાંજથી સોમવારની સવાર સુધીમાં અકળ કારણથી પોતાના ઘરમાં સાડી વડે ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું છે. પોલીસે તેમના પુત્રનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં રહેતા હંસાબેન નાનજીભાઈ ધ્રુવ (ઉ.વ.૪ર) નામના મહિલાએ ગઈ તા.૯ની સાંજના છ વાગ્યાથી તા.૧૦ની સવારના દસ વાગ્યા દરમિયાન જ્યારે તેઓ પોતાના ઘરમાં એકલા હતા ત્યારે તેઓ કોઈ કારણથી આડીમાં સાડી વડે ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ બાબતની તેમના પુત્ર કરણભાઈને જાણ થતાં તેઓએ પોલીસને વાકેફ કરી છે. જામનગરના રણજીત સાગર નજીકના હર્ષદપુરમાં રહેતા કરણભાઈનું પોલીસે નિવેદન નોંધી મહિલાની આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial