Advertisement
Author: નોબત સમાચાર

સંસદસભ્ય પૂનમબેન માડમના જન્મ દિવસે મેગા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

આવતીકાલે ઓશવાળ સેન્ટરમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. રરઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની ઉજવણી અંતર્ગત તેમજ હાલારના સંસદસભ્ય પૂનમબેન માડમના જન્મદિન નિમિત્તે આવતીકાલે તા. ર૩-૯-ર૦રપ ના સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા સુધી સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ તથા શિવાની ફાઉન્ડેશનના ઉપક્રમે મેગા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન સાત રસ્તા સર્કલ પાસે ઓશવાળ સેન્ટરમાં કરવામાં આવ્યું છે, જેમાં નામાંકિત ડોક્ટરો દ્વારા રોગનું નિદાન કરી જરૂરી દવાઓ નિઃશુલ્ક આપવામાં આવશે.

ભારત સરકાર દ્વારા લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવાય તથા દેશના યુવક-યુવતીઓ રમતગમત પ્રત્યે રૂચિ ધરાવતા થાય તેવા હેતુસર દેશના દરેક લોકસભા ક્ષેત્રમાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના સાંસદે ખેલ મહોત્સવનો ઉદ્ઘાટન સમારોહ પણ આવતીકાલે તા. ર૩/૯ ના સવારે ૧૧ વાગ્યે ઓશવાળ સેન્ટરમાં સંસદસભ્ય પૂનમબેન માડમના હસ્તે યોજાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh