Advertisement
Author: નોબત સમાચાર

શ્વાનનું ખસીકરણ કર્યા પછી મૃત્યુ થતા જામનગરના જીવદયા પ્રેમીઓમાં આક્રોશ

ખાનગી એજન્સીએ છોડ્યા પછી પણ લોહી નીકળતું હતું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: જામનગર મહાનગરપાલિકા દ્વારા રસ્તે રઝળતા શ્વાનનું ખસીકરણ કરવામાં આવે છે, જેમાં એક શ્વાનનું ખસીકરણ કર્યા પછી તેને પરત છોડી દેવાયા પછી શ્વાનનું મૃત્યુ થતા જીવદયાપ્રેમીઓમાં રોષ ફેલાયો છે, અને ખસીકરણની અણઘડ કરાતી કામગીરી સામે પણ સવાલ ઊઠવા પામ્યા છે. શહેરના લીમડાલાઈન વિસ્તારમાંથી એક શ્વાનને ખસીકરણ માટે લઈ જવાયું હતું. તેનું ખસીકરણ કર્યા પછી જ્યાંથી લેવાયું હતું ત્યાં જ પરત છોડી દેવાયું હતું, પરંતુ તેને ખૂબ જ લોહી નીકળતું હતું અને મૃત્યુ થયું હતું. આથી સ્થાનિક રહેવાસીઓ દ્વારા એનિમલ વેલ્ફેર બોર્ડને ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરના શ્વાનના ખસીકરણ માટે ખાનગી એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે. તેની સામે પણ સવાલો ઊઠવા પામ્યા છે, અને સંસ્થા યોગ્ય કામગીરી કરે તેવી માંગણી કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh