Advertisement
Author: નોબત સમાચાર

ડો. આંબેડકર આવાસ યોજના હેઠળ રૂા. ૧.૭૦ લાખની સહાયઃ ઓનલાઈન અરજીઓ મંગાવાઈ

ઘરવિહોણા-કાચુ મકાન ધરાવતા અનુસૂચિત જાતિ પરિવારોને

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૫ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ઘરવિહોણા/કાચુ મકાન ધરાવતા અનુસૂચિત જાતિના કુટુંબો ડો. આંબેડકર આવાસ યોજનાનો લાભ લઈ શકશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ઘર વિહોણા કે કાચુ મકાન ધરાવતા અનુસૂચિત જાતિના કુટુંબો ડો. આંબેડકર આવાસ યોજનાનો લાભ લઈ શકશે. નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા ગ્રામ્ય કુટુંબોને સરકાર દ્વારા ફાળવેલ મફત પ્લોટ, ખરીદ કરેલ પ્લોટ અથવા અન્ય કોઈ પ્રકારે માલિકી હક્ક ધરાવતા હોય તેવા અરજદારોને પાકા આવાસ બનાવવા માટે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ યોજનાન અંતર્ગત વિવિધ ચાર તબક્કે રૂા. ૧.૭૦ લાખની સહાય મળવાપાત્ર થશે.

ઓનલાઈન અરજી કરતા સમયે પોર્ટલ પરની માર્ગદર્શક સુચનાઓ મુજબ જરૂરી સાધનિક કાગળો માત્ર ઓનલાઈન સબમિટ કરવાના રહેશે. જ્યારે સંબંધિત અધિકારી જણાવે ત્યારે અસલ કોપી રજુ કરવાની રહેશે.

વધુ માહિતી માટે તાલુકા કક્ષાએ સંબંધિત તાલુકા પંચાયત કચેરીએ સમાજકલ્યાણ નિરીક્ષક (અનુ.જાતિ) કે જિલ્લા કક્ષાએ જિલ્લા સમાજકલ્યાણ અધિકારીની કચેરી (અનુસૂચિત જાતિ કલ્યાણ), જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા, પ્રથમ માળ, ધરમપુર-લાલપુર બાયપાસ રોડ, ખંભાળીયાનો સંપર્ક કરી શકાશે, તેમ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (અ.જા.) ની યાદીમાં જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh