Advertisement
Author: નોબત સમાચાર

જામનગર તાલુકાના લાખાબાવળમાં ગ્રામ પંચાયતની જમીનનું દબાણ દૂર કરાવાયું

ખુલ્લી કરાયેલી જમીનની બજાર કિંમત લગભગ દસ કરોડ થાય

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૯: જામનગર તાલુકાના લાખાબાવળ ગામની ગ્રામ પંચાયતની માલિકીની જમીનમાં કરાયેલા દબાણને તંત્ર દ્વારા દૂર કરાયું હતું અને આશરે ૧૦ કરોડની બજાર કિંમત ધરાવતી જમીન દબાણ મુક્ત કરાવી હતી.

જામનગર જિલ્લાના અનેક ગામડામાં સરકારી અને ગૌચરની જમીનમાં દબાણો થયા છે, જ્યારે તંત્ર દ્વારા આવા દબાણો દૂર કરવાની કામગીરી અમુક ગ્રામ્ય વિસ્તારોમાં શરૂ કરી છે. થોડા દિવસ પહેલા શાપર ગામમાં આવા દબાણો દૂર કરાયા હતાં.

જ્યારે હવે જામનગર તાલુકાના શાપર ગામમાં દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. લાખાબાવળ ગામના રે.સ. નંબર ર૯૬ (જુના સર્વે નંબર ૧પર) વાળી ખેતીવાડીની જમીન જે ૭/૧ર માં શ્રી લાખાબાવળ ગ્રામ પંચાયતના નામે નોંધાયેલ છે. આ જમીનમાં થયેલ દબાણો દૂર કરવા તંત્ર હરકતમાં આવી હતી અને બુલડોઝર ચલાવીને કુલ ક્ષેત્રફળ ૧-૭૭-૦પ હે.આર. ચો.મી. જમીન દબાણ મુક્ત કરાવી છે.

આ જગ્યાની બજારકિંમત આશરે રૂ. ૧૦ કરોડ થવા જાય છે.

આ કામગીરી સમયે ગામના સરપંચ ફાતમાબેન નુરમામદભાઈ ખીરા, ઉપસરપંચ જયદિપસિંહ જાડેજા, તલાટી મંત્રી હર્ષિદાબા ઝાલા, ઉપરાંત ભારદ્વાજસિંહ વાઘેલા, પંચાયતના સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh