Advertisement
Author: નોબત સમાચાર

જીએસટી ઘટાડાનો લાભ ગ્રાહકોને નહીં આપતા વેપારીઓ પર ઉતરશે તંત્રની તવાઈ

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટની કલમ-૧૭૧ હેઠળ દંડ-સજાની જોગવાઈ છે

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૮: જીએસટી ઘટાડાનો લાભ ગ્રાહકને નહીં આપતા વેપારી દંડ-સજાને પાત્ર થશે અને જીએસટી એક્ટની કલમ-૧૭૧ હેઠળ તંત્રની તવાઈ ઉતરશે.

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલે જીએસટીના દરમાં કરેલા ઘટાડાનો લાભ ગ્રાહકોને ન આપનાર વેપારીઓ તોલમાપ ખાતાના કાયદા હેઠળ અને જીએસટી કાઉન્સિલ નક્કી કરે તો એન્ટિપ્રોફિટિયરિંગની જીએસટીની જોગવાઈ હેઠળ દંડ અને સજાને પાત્ર બનશે. સરકાર તેમના પર બારીક નજર રાખી રહી છે.

અત્યારે એન્ટિપ્રોફિટિયરિંગની કોઈપણ જોગવાઈ અમલમાં નથી. તેથી સરકાર આપણું કંઈ બગાડી શકશે નહીં તેમ માનીને ઘટાડ ન કરનારા વેપારીઓ બૂરી રીતે ફસાઈ શકે છે. જીએસટી એક્ટમાં કલમ ૧૭૧ માં એન્ટિપ્રોફિટિયરિંગની જોગવાઈ કરવામાં આવેલી છે. આ કલમ હેઠળ જીએસટીના અધિકારીને વેપારી સામે પગલાં લેવાની સત્તા મળેલી છે.

જીએસટી કાઉન્સિલ દ્વારા વેરાના દરમાં કરવામાં આવેલા ઘટાડાનો લાભ કોઈપણ ગ્રાહકને ન આપે તો તે વેપારી સામે પગલાં લેવાની સત્તા અધિકારીઓ પાસે છે, જો કે કેન્દ્ર સરકારે કલમ ૧૭૧(ર) ની સત્તાનો ઉપયોગ કરવાની કલમને પહેલી એપ્રિલ ર૦રપ થી નિષ્ક્રિય કરી દીધી છે, છતાં સરકારના ધ્યાનમાં આવશે કે જીએસટી કાઉન્સિલે જીએસટીના દરમાં કરેલા ઘટાડાનો લાભ ગ્રાહકને આપવામાં આવતો નથી, તો તેવા સંજોગોમાં આ કલમને એક્ટિવ કરવા માટે એક જ નોટિફિકેશન બહાર પાડવાથી વિશેષ કશું જ સરકારે કરવું પડશે નહીં.

સરકારે વેપારી આલમ પર વિશ્વાસ મૂક્યો છે. તેનો લાભ જનતાને મળશે તેવા વિશ્વાસને આધારે જ જીએસટીના રેટ ઘટાડ્યા છે. ડીલરો પણ ટેક્સ કોઈએ રાખવી ન જોઈએ. વેપારીઓ ઘટાડીને ચીજવસ્તુઓનું વેંચાણ કરશે. વેરાના દરમાં નફો કરવાની વૃત્તિ દ્વારા નફાખોરી કરવામાં આવી રહી હોવાનું સરકારના ધ્યાનમાં આવશે તો સરકાર એટિપ્રોફિટિયરિંગની જોગવાઈનો અમલ કરશે. તેમાં વેપારીના બે-ચાર હિસ્સાબો નહીં, પૂરેપૂરા હિસાબોની અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. ૧ર ટકાના સ્લેબમાંથી પ ટકાના સ્લેબમાં વસ્તુઓને મૂકી આપવામાં આવી હોય તો તેવા સંજોગોમાં ચીજવસ્તુઓના ભાવ સીધા ર ટકા ઘટી જશે તેવી માન્યતામાં ગ્રાહકોએ પણ રહેવું જોઈએ નહીં. ૧ર ટકા જીએસટીનો સ્લેબ નાબૂદ કરી દેવામાં આવ્યો છે. તેમાંથી ઘણી વસ્તુઓ પરના જીએસટીના દર ઘટીને પ ટકા થયા છે. હવે આ વસ્તુના વર્તમાન ભાવમાંથી સીધા ૭ ટકાની બાદબાકી કરીને તેની ઘટાડેલી કિંમત નક્કી કરી ચીજવસ્તુના નવા ઘટાફેલા ભાવ નક્કી કરવા માટે નીચે મુજબની ફોર્મ્યુલાઓ ઉપયોગ કરી શકાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh