Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સવા ત્રણ વર્ષ પહેલાં કરાઈ હતી ફરિયાદઃ
જામનગર તા. ૬: જામનગરમાં સવા ત્રણ વર્ષ પહેલાં એક મહિલાના ઘેર જઈ બે શખ્સ તથા કાયદાથી સંઘર્ષિત કિશોરે હુમલો કરી માર માર્યાની જે તે વખતે પોલીસમાં ફરિયાદ થઈ હતી. તે કેસ ચાલી અદાલતે બેનો છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરના એક મહિલા પર ગઈ તા.૭-૯-રરની સાંજે વિશાલ તથા રાહુલ સોલંકી નામના બે શખ્સે હુમલો કર્યાે હતો. આ શખ્સોએ તે મહિલાના ઘેર જઈ ગાળો ભાંડવા ઉપરાંત ઢીકાપાટુથી માર માર્યાે હતો અને ખભ્ભા પાસેથી તેણીના કપડા ફાડી નાખ્યા હતા.
આ બાબતની જે તે વખતે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. ઉપરોક્ત કેસ અદાલતમાં ચાલવા પર આવતા અદાલતે આરોપી વિશાલ ભગવાનજી, રાહુલ ભગવાનજીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ જયન ગણાત્રા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial