Advertisement
Author: નોબત સમાચાર

સલાયામાં વહાણોની ઈમીગ્રેશનની પ્રક્રિયા પુનઃ ચાલુ કરવા રજૂઆત

હાલમાં અનેક વહાણોમાં ભરેલો માલ બગડી જશેઃ બધા માટે બનશે હાનિકર્તા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયામાં સરકારના લગત વિભાગો દ્વારા ૧ સપ્ટેમ્બરથી વહાણોની ઈમીગ્રેશન પ્રક્રિયા બંધ કરેલ છે, જે અન્યાયકર્તા છે અને દેશના અને રાજ્યના અર્થતંત્રને નુક્સાનકર્તાછે. હાલમાં ચોમાસાનું વેકેશન પૂર્ણ થતા અને મંજુરી મળતા અનેક વહાણો માલ-સામાન ભરીને વિદેશમાં જવા માટે તૈયાર છે, પરંતુ અમુક વહાણોની પહેલી સપ્ટેમ્બરે ઈમીગ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયેલ અને ત્યારપછી સલાયામાં આ કામગીરી બંધ કરેલ અને રાજકોટ આઈ.બી.માં આ કામગીરી ચાલુ કરેલ, પરંતુ તે પણ ૮ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેલ અને ત્યારપછી સંપૂર્ણ બંધ થયેલ છે.

આ કારણે હાલમાં સલાયાના આશરે ૪૦ થી પ૦ જેટલા વહાણો પોરબંદર, બેડી, મુન્દ્રા વિગેરે જેવા બંદરો ઉપરથી પોતાના વહાણમાં ભરેલ હજારો ટન ખાદ્ય પદાર્થો જેવા કે ચોખા, ખાંડ, અનાજ, મગફળી વિગેરે ભરીને અન્ય દેશોમાં જવા માટે તૈયાર છે, પરંતુ ઈમીગ્રેશન પ્રક્રિયા બંધ થવાના કારણે આ વાહણો હવે પોતાનો વેપાર કરી શકશે નહીં અને તેમાં ભરેલ માલની યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે તો બગડી જશે, તેમજ જે તે વહાણ માલિકને અને માલ મોકલનાર પાર્ટીને સમયનું અને નાણાનું મોટું નુક્સાન થશે તેમજ ગુજરાત સરકારને પણ થનારી આવકનું નુકસાન થશે.

આ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવા માચ્છીમાર એસો.ના પ્રમુખ અનવર સંઘારે રજૂઆત કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh