Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વ્યથિત યુવાને ઝેર પી આત્મહત્યા કરીઃ
જામનગર તા. ૧૪: જામનગરના સિક્કા ગામ નજીકના મુંગણીમાં રહેતા એક યુવાને બારેક દિવસ પહેલાં કોઈ જલદ પ્રવાહી ગટગટાવ્યું હતું. તેઓનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. આ યુવાનને લગ્નનો વાયદો કરી હાલમાં જામનગરમાં રહેતી યુવતીએ આત્મહત્યાની દુષ્પ્રેરણા આપ્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગર તાલુકાના સિક્કા ગામ નજીક આવેલા મુંગણીમાં વસવાટ કરતા હસમુખભાઈ મલજીભાઈ પરમારે હાલમાં જામનગરમાં સરૂ સેક્શન રોડ પર પોલીસ હેડકવાર્ટર પાછળ સરકારી આવાસમાં રહેતા એક યુવતી સામે સિક્કા પોલીસ મથકમાં આત્મહત્યાની દુષ્પ્રેરણા અંગે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ હસમુખભાઈના ભાઈ અશ્વિનને અગાઉ સિક્કામાં વસવાટ કરતી આ યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. તે પછી બંને વ્યક્તિ લગ્ન કરવાની વાત કરતા હતા. તે દરમિયાન આ યુવતીએ હસમુખભાઈની જ્ઞાતિ અંગે વાત કરી લગ્ન નહીં કરવા માટે જણાવતા અને માનસિક ત્રાસ આપતા નાસીપાસ થઈ અશ્વિનભાઈએ તા.૩૦ની રાત્રે કોઈ જલદ પ્રવાહી ગટગટાવી લીધુ હતું. સારવારમાં ખસેડવામાં આવેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. ત્યારપછી હસમુખભાઈએ ઉપરોકત ફરિયાદ નોંધાવી છે. એસસીએસટી સેલના ડીવાયએસપીએ વધુ તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial