Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક મકાનમાં કરાયેલા વીજ ચેકીંગનો મામલોઃ
જામનગર તા. ૩૦: જામનગરની કેતન સોસાયટીમાં એક બંગલામાં ૧પ વર્ષ પહેલાં વીજ ચેકીંગ કરાયા પછી ૧૧ વર્ષ પહેલાં વીજચોરીનું બીલ આપવામાં આવ્યું હતું. તે રકમ ભાડૂતોએ ભરવાની છે તેવું ઠરાવી આપવા બંગલા માલિકે કરેલો દાવો ચાલી જતાં અદાલતે ભાડૂતની જવાબદારી નથી તેમ ઠરાવ્યું છે.
જામનગરની કેતન સોસાયટીમાં બંગલો ધરાવતા સુનિતાબેનને ત્યાં તા.૨૨-૭-૧૦ના પીજીવીસીએલ દ્વારા વીજ ચેકીંગ કરવામાં આવ્યું હતું. તે વેળાએ નવું મીટર લગાડવાના બદલે ચેકીંગ શીટ ભરીને અધિકારીઓ ચાલ્યા ગયા હતા. તે પછી વર્ષ ૨૦૧૩માં અન્ય બે મહિલાને સહકારી મંડળીના કાર્ય માટે તે બંગલો ભાડે આપવામાં આવ્યો હતો. તે પછી એકાદ વર્ષે ભાડુતની ગેરહાજરીમાં વીજ અધિકારીએ ત્યાંથી મીટર ઉતારી લીધુ હતું અને રોજકામની તારીખ પણ આપી ન હતી.
ત્યારપછી એક મહિને એક તરફી રોજકામ કરી મૂળ માલિકને રૂા.૩,૪૭,૪૧૮નું પુરવણી બીલ આપવામાં આવ્યું હતું. વાંધા સાથે તે રકમ ભરપાઈ કરી સુનિતાબેને અદાલતમાં દાવો કર્યાે હતો. તે દાવામાં તે ભાડૂતને તથા વીજ કંપનીને પ્રતિવાદી તરીકે જોડવામાં આવ્યા હતા. મીટર કબજે કરાયું ત્યારે ભાડૂતના કબજામાં હતું તેથી રકમ ભરવાની જવાબદારી ભાડૂતની છે તેવી દાદ માંગવામાં આવી હતી.
ઉપરોક્ત દાવામાં બંને ભાડૂત તરફથી રોકાયેલા વકીલે દલીલ કરી હતી કે, મકાન ભાડુ આપતી વખતે ત્રણ વર્ષ પહેલાં ત્યાં ચેકીંગ કરાયું છે તેની વિગત મકાન માલિકે આપી ન હતી. તેમજ ભાડાની રકમ સહકારી મંડળીના બેંક ખાતામાંથી ચૂકવાતી હતી તેથી વીજચોરી કરવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી. અદાલતે બંને ભાડૂતોની કોઈ જવાબદારી થતી નથી તેમ ઠરાવી વીજ કંપની દ્વારા પણ વીજચોરી સાબિત થતી નથી તેવું ઠરાવ્યું છે. ભાડૂતો તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial