Advertisement
Author: નોબત સમાચાર

ઉધાર આપેલી રકમ પરત માંગતા યુવાન પર કાલાવડમાં ત્રણ શખ્સ દ્વારા કરાયો હલ્લો

બાઈક પછાડવાના પ્રશ્ને પ્રૌઢને માર પડ્યોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: કાલાવડના એક યુવાને રાજકોટમાં રહેતા મિત્રને ઉધાર આપેલી રકમ પરત માંગતા કાલાવડ ધસી આવેલા ત્રણ શખ્સે આ યુવાનને ધોકાવી નાખ્યો હતો. જ્યારે ખીમરાણામાં બાઈક કેમ પછાડ્યું તેમ પૂછતા એક પ્રૌઢને માર મારી લોહીલુહાણ કરી નખાયા હતા.

કાલાવડના ખોડિયારપરામાં રહેતા કેતન વાલજીભાઈ વૈષ્ણવે રાજકોટમાં રહેતા પોતાના મિત્ર મનોજ કમાભાઈ શિયારને રૂ.૧પ હજાર હાથઉછીના આપ્યા હતા. તે રકમ કેતને પરત માંગતા કાલાવડ ધસી આવેલા મનોજ તેમજ તેના પુત્ર કુંભ અને જયેશ વકાતરે એક રેસ્ટોરન્ટ પાસે બોલાવી કેતનને પાઈપ તથા ઢીકાપાટુથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જામનગર તાલુકાના ખીમરાણા ગામના મગનભાઈ હંસરાજ ફોફરીયાએ પોતાનું મોટરસાયકલ પાડી નાખનાર અરૂણ રણછોડભાઈ ધારવીયાને કહેતા ધોકાથી હુમલો કરી અરૂણે માર માર્યાે હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh