Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાલાપરના દરિયાકાંઠે મૃતદેહ તણાઈ આવ્યોઃ
જામનગર તા. ૧૦: જામજોધપુરના મેથાણ ગામના એક વૃદ્ધા દીવાની ઝાળે દાઝી ગયા પછી મોતને શરણ થયા છે. જ્યારે બેટ દ્વારકામાં નોકરી માટે આવેલા એક પરપ્રાંતીય યુવાન ગુમ થયા પછી તેઓનો મૃતદેહ તણાઈને બાલાપરના દરિયાકાંઠે આવ્યો છે. પોલીસે તેનો કબજો સંભાળી તપાસ શરૂ કરી છે.
જામજોધપુર તાલુકાના મેથાણ ગામમાં રહેતા હેમીબેન ભૂરાભાઈ વોરા (ઉ.વ.૭૦) નામના પટેલ વૃદ્ધાને થોડા દિવસથી શરીરમાં સાંધાનો દુખાવો થતો હોવાથી તેઓ ગઈકાલે સવારે પોતાના ઘરે કેરોસીનથી માલીશ કરતા હતા. આ વેળાએ બાજુમાં દીવો પ્રગટાવેલો હતો.
તે દરમિયાન કોઈ રીતે દીવાની ઝાળ હેમીબેનના શરીરને અડકી જતાં તેના પર કેરોસીનથી માલીશ કરેલુ હોવાના કારણે હેમીબેન ગંભીર રીતે દાઝી ગયા હતા. આ વૃદ્ધાને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગઈરાત્રે તેઓનું મૃત્યુ નિપજ્યું છે. રસીકભાઈ ઘેલાભાઈ સુદાણીએ પોલીસને જાણ કરી છે. શેઠવડાળા પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઓખામંડળના બેટ દ્વારકામાં નોકરી માટે આવેલા મૂળ ઉત્તરપ્રદેશના ચંદોલી જિલ્લાના વતની તારાપ્રકાશ હીરાલાલ (ઉ.વ.૩૫) નામના યુવાન દીપમાલા બોટ પર કામ કરતા હતા. તેઓ સોમવારે સવારે બોટ પર જોવા ન મળ્યા હતા. તે પછી કરાઈ રહેલી શોધખોળમાં તારાપ્રકાશનો મૃતદેહ બેટ દ્વારકા નજીકના બાલાપરના દરિયાકાંઠે તણાઈને આવ્યો છે. જગદીશ જાદવભાઈ ટંડેલે પોલીસને જાણ કરતા દોડી ગયેલી બેટ દ્વારકા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial