Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મંદિરોમાં શેરડી ધરવાની પરંપરા
'છોટીકાશી' કહેવાતા જામનગરમાં દેવઉઠી એકાદશી અર્થાત દેવદિવાળી પર્વ નિમિત્તે શેરડીનું વેચાણ થઇ રહૃાું છે. મંદિરોમાં દેવદિવાળીએ શેરડી ધરવાની પરંપરા હોય ભક્તો દ્વારા મોટા પ્રમાણમાં શેરડીની ખરીદી થાય છે જેને પગલે જાહેર માર્ગો પર ઠેર ઠેર શેરડીનું વેચાણ થાય છે.આજે અને આવતીકાલે બંને દિવસ એકાદશીની ઉજવણી થવાની છે. પંચાગ મુજબ તથા પુષ્ટી માર્ગીય પરંપરા મુજભ મોટા ભાગનાં વિષ્ણુ મંદિરોમાં આવતીકાલે એકાદશી તથા તુલસી વિવાહ સહિતનાં ધર્મોત્સવ ઉજવવામાં આવશે. તુલસી વિવાહ સાથે ચાતુર્માસ સમાપ્તિ અને લગ્ન જેવા માંગલિક કાર્યોનો શુભારંભ થતો હોય મીઠાસરૂપે પણ શેરડીનો ઉપયોગ થાય છે. જોકે મોંઘવારીને કારણે લોકોને આ શુકનવંતી મીઠાસ આર્થિક રીતે થોડીક કડવી પણ લાગી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial