Advertisement
Author: નોબત સમાચાર

ઝાલાવાડની પીપલોડી સરકારી શાળાનો ઓરડો ધરાશાયી થતા દસ બાળકોના મૃત્યુઃ ૨૬ હોસ્પિટલમાં

રાજસ્થાનમાં સર્જાઈ કરૂણાંતિકાઃ હોસ્પિટલમાં હદૃયદ્રાવક દૃશ્યોઃ મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યાઃ ખંઢેર બની ગઈ શાળા

                                                                                                                                                                                                      

જયપુર તા. ૨૫ઃ રાજસ્થાનમાં સ્કૂલમાં છોકરાઓ ભણાં હતા ને ઈમારત ધરાયી થઈ જતા દસ બાળકોનાં મોત થયા છે અને ૨૬ ઘાયલ થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મૃતાંક હજુ વધી શકે છે, કારણ કે ૮ વિદ્યાર્થીઓની સ્થિતિ ગંભીર બતાવાઈ રહી છે.

રાજસ્થાનમાં ઝાલાવાડમાં સરકારી શાળાની ઇમારત  ધરાશાયી થતાં ૭ બાળકોના મોત થયા છે. આ અકસ્માતમાં ૨૯ બાળકો ઘાયલ થયા છે. આ અકસ્માત આજે સવારે મનોહરથાણા બ્લોકની પીપલોડી સરકારી શાળામાં થયો હતો.

આ અકસ્માતમાં એક ક્લાસરૂમ ધરાશાયી થયો હતો. તેમાં ધોરણ ૭ના બાળકો બેઠા હતા. તે બધા કાટમાળ નીચે દટાઈ ગયા હતા. શિક્ષકો અને ગ્રામજનોની મદદથી, બધા ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા.

મનોહરથાના હોસ્પિટલના ડો. કૌશલ લોઢાએ જણાવ્યું હતું કે આઠ ગંભીર રીતે ઘાયલ લોકોને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. આ દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટર પર લખ્યું છે કે અકસ્માત ખૂબ જ દુઃખદ છે અને અધિકારીઓને તપાસના નિર્દેશ આપવામાં આવ્યા છે.

ગ્રામજનોએ જણાવ્યું હતું કે, આ શાળામાં કુલ ૭ કલારૂમ છે. અકસ્માત સમયે શાળાના બે કલારૂમમાં ૭૧ બાળકો હતા. અકસ્માત થયો તે કલાસરૂમમાં ૭માં ધોરણના બાળકો અભ્યાસ કરી રહ્યા હતા. જયારે કલાસરૂમ ધરાશાયી થયો ત્યારે શાળામાં બે શિક્ષકો હતા. જો કે, તેમને કોઈ ઈજા થઈ નથી.

ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને ઝાલાવાડની જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. માતા-પિતા રડતા અને તેમના માસૂમ બાળકોને ખોળામાં લઈને દોડતા જોવા મળ્યા હતા. અકસ્માતથી પ્રભાવિત લોકોને શકય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે એક એકસ પોસ્ટમાં લખ્યું છે કે ઘાયલોને શક્ય તેટલી મદદ પૂરી પાડવામાં આવી રહી છે.

ગામલોકોએ જણાવ્યું કે ઘટનાની માહિતી મળતા જ બધા શાળા તરફ દોડી ગયા. આખા ગામમાં ચીસો અને રુદનનો માહોલ હતો. વ્યથિત માતા-પિતા કાટમાળમાં પોતાના બાળકોને શોધતા જોવા મળ્યા.

ઝાલાવાડ શાળાની ઇમારત દુર્ઘટના અંગે શિક્ષણ મંત્રી મદન દિલાવરે કહૃાું કે હજારો ઇમારતો જર્જરિત હાલતમાં છે. જેના સમારકામનું કામ શરૂ થઈ ગયું છે. લગભગ ૨૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. હાલમાં, પ્રાથમિકતા એ છે કે ઘાયલ બાળકોની યોગ્ય સારવાર થાય અને તેઓ જલદી સ્વસ્થ થાય.

મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ શાળાના મકાન અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે.

અકસ્માત પછી, શાળામાં બધે બાળકોના પુસ્તકો અને સામાન વેરવિખેર થઈ ગયા હતા. ગામલોકોએ જણાવ્યું હતું કે બાળકોને ખૂબ જ મુશ્કેલીથી બહાર કાઢવામાં આવ્યા હતા. આખું દૃશ્ય ખૂબ જ ડરામણું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh