Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં રાયઠઠ્ઠા પરિવારની ભાગવત સપ્તાહમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવઃ 'નંદભયો'ની થશે ઉજવણી

આવતીકાલે શ્રી વામન પ્રાગટ્ય અને શ્રીરામ પ્રાગટ્ય પછી

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૭: યાત્રાધામ દ્વારકામાં સરકીટ હાઉસ નજીક રાયઠઠ્ઠા પરિવારની ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં પૂ. શાસ્ત્રીજી કેતનભાઈ પુરોહિત કથામૃતનું રસનપાન કરાવી રહ્યા છે. પ્રથમ દિવસે પોથીયાત્રા પછી બે દિવસમાં કપિલ પ્રાગટ્ય અને નૃસિંહ પ્રાગટ્યની કથાઓ રજૂ થઈ હતી. પ.પૂ. પાદ ગૌસ્વામી શ્રી કાલિન્દીવહુજી મહારાજે આ કથામાં પધારી આશીર્વચનો આપ્યા હતાં. આ કથા સાંભળવા માટે મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહે છે.

આવતીકાલ ર૮ મી ઓગસ્ટ ને ગુરુવારે આ ભાગવત સપ્તાહમાં વામન પ્રાગટ્ય, શ્રીરામ પ્રાગટ્ય અને શ્રીકૃષ્ણ જન્મોત્સવ 'નંદભેરો' ખૂબ જ ધામધૂમથી ઉજવાશે. જેનો કથાના સમય દરમિયાન સાંજે ચાર વાગ્યાથી લાભ લેવા સૌ વૈષ્ણવોને યજમાન પરિવાર તરફથી અનુરોધ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh