Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં જામીન આપવા માટે ફિલ્મ ડાયરેક્ટર સંતોષી કોર્ટમાં થયા હાજર

સજાનો હુકમ અપીલમાં પણ રહ્યો છે યથાવતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરના ઉદ્યોગપતિની ચેક પરતની ફરિયાદમાં હિન્દી ફિલ્મ જગતના ડાયરેક્ટરને સજા ફટકારાયા પછી અપીલમાં પણ હુકમ યથાવત રહ્યો હતો. તે અન્વયે ગઈકાલે ફિલ્મ ડાયરેક્ટર જામીન આપવા માટે જામનગર કોર્ટમાં હાજર થયા હતા.

જામનગરના ઉદ્યોગપતિ અશોક લાલ દ્વારા જાણીતા હિન્દી ફિલ્મ ડાયરેક્ટર રાજકુમાર સંતોષી સામે રૂ.૧ કરોડના ચેક પરતની જામનગર કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી.

આ કેસમાં આરોપીને અદાલતે બે વર્ષની સજા અને બમણી રકમનો દંડ ફટકાર્યાે હતો. તે હુકમ સામે સેશન્સ કોર્ટમાં અપીલ કરાઈ હતી. તે અપીલમાં પણ નીચેની કોર્ટનો હુકમ માન્ય રખાયા પછી અદાલતના આદેશ અનુસાર ગઈકાલે રાજકુમાર સંતોષી જામનગરની ન્યાયમૂર્તિ દવેની કોર્ટમાં જામીન આપવા માટે હાજર થયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh