Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની રંગમતી નદી ઊંડી ઉતારવાના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ

જામનગર શહેર કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને રજુઆતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગરની રંગમતી નદી ઊંડી ઉતરવાના કામ માટે વગર ટેન્ડરે રૂ ૮ કરોડ ૫૦ લાખનો ખર્ચ સ્ટેન્ડીંગ કમિટી દ્વારા મંજુર કરવામાં આવ્યો છે. આ કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોય તે અંગે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ ફરિયાદ કરી છે.

પાંચ લાખથી વધુ કોઈપણ કામ માટે ટેન્ડર પ્રક્રિયા કરવી ફરજીયાત છે. છતાં મહાનગરપાલિકાના અધિકારી, પદાધિકારીઓ એ નિયમને નેવે મૂકીને કામ આપી દીધું છે. આવતા દિવસોમાં સાડા આઠ કરોડથી વધુ રકમનો બીલો પણ ચૂકવી આપવામાં આવશે.

અહીં કોન્ટ્રાક્ટર સાથેની મિલીભગતથી મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે.

જો આ એજન્સીને રકમથી ચૂકવણી કરવામાં આવશે તો કોર્ટમાં જવાની ફરજ પડશે તેવી પણ ચિમકી આપવામાં આવી છે.

આ અંગે વિજીલીયન્સની તપાસ કરાવવી જોઈએ તેવી પણ માંગ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh