Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૦: ખંભાળીયાના દ્વારકેશ કમલમ્ માં યોજાયેલા પ્રબુદ્ધ નાગરિક સંમેલન દરમ્યાન સેવાભાવી સંસ્થાઓ સહિત ૧૦૫ વ્યક્તિઓનું બહુમાન કરાયું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૫મા જન્મદિન નિમિત્તે શરૂ થયેલા સેવા પખવાડીયા અંતર્ગત તાજેતરમાં ખંભાળીયામાં દ્વારકેશ કમલમ્ કાર્યાલયમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન તથા ૧૦૫ સંસ્થાઓ તથા વિશિષ્ટ સેવા કાર્યો કરનારાઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.
રાજ્ય ભાજપ દ્વારા નિયુક્ત ઉપલેટા તથા ધોરાજીના ધારાસભ્ય ડો.મહેન્દ્ર પાડલીયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, અગ્રણીઓ રસીકભાઈ નકુમ, યુવરાજસિંહ વાઢેર, અનીલભાઈ તન્ના, ભરતભાઈ ગોજીયા, અશોકભાઈ કાનાણી, ખીમભાઈ ગોજીયા વિગેરે જોડાયા હતા. ઈન્દ્રજિતસિંહ પરમાર કાર્યક્રમ ઈન્ચાર્જ, અબોલતીર્થ, રેડક્રોસ, નંદી આશ્રમ, ગાયત્રી ગરબા મંડળ -ભાણવડ સહિતના અનેક સંસ્થાના આગેવાનો જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial