Advertisement
Author: નોબત સમાચાર

જામ્યુકોની ર૪ દુકાનોની હરાજીઃ મનપાને રૂ. ર.૬૭ કરોડની આવક

ચાર અલગ-અલગ આવાસ યોજનાઓમાં નિર્મિત

                                                                                                                                                                                                      

જામનગર તા. રઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે દુકાન વેંચાણ માટે હરાજીની પ્રક્રિયા કરવામાં આવી હતી, જેમાં ર૪ દુકાનોનું વેંચાણ થયું હતું. જામનગર મહાનગર પાલિકાએ શહેરના અલગ અલગ વિસ્તારમાં ચારે સ્થળોએ આવાસ યોજનામાં દુકાનોનું પણ નિર્માણ કરાયું હતું.

આવી કુલ ૯ર દુકાનોમાંથી ગત્ માસે હરાજીમાં વેંચાણ પછી ૪૮ દુકાનો બાકી રહી હતી. આ ૪૮ દુકાનોના વેંચાણ માટે ગઈકાલે ટાઉનહોલમાં હરાજી પ્રક્રિયા રાખવામાં આવી હતી, તેમાં એફ.પી. ૬૩-આવાસ યોજનામાં બાકી રહેલી ૪૮ માંથી ર૪ દુકાનોનું હરાજીથી વેંચાણ થયું હતું અને મહાનગરપાલિકાને રૂ. ર કરોડ ૬૭ લાખ આવક મળી છે. આમ ચાર આવાસ યોજનામાં હવે ર૪ દુકાનો હજુ ખાલી વેંચાણ વગરની બાકી રહી છે. તેમાં બેડી આવાસમાં ર૦ અને મયુરનગર આવાસમાં ૪ દુકાનોનો સમાવેશ થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh