Advertisement
Author: નોબત સમાચાર

મેઘપરમાં મજુરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના યુવાન થઈ ગયા લાપતા

પોલીસે ફોટો તથા વર્ણન મેળવી તપાસ આદરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જામનગર-ખંભાળીયા રોડ પર મેઘપર ગામમાં મજુરી કામ માટે મધ્યપ્રદેશથી આવીને વસતા એક યુવાન દસેક દિવસ પહેલા બપોરના સમયે પોતાના રહેણાંકના સ્થળેથી ક્યાંક ચાલ્યા ગયા છે. પોલીસે વર્ણન તેમજ ફોટો મેળવી તપાસ હાથ ધરી છે.

જામનગર-ખંભાળીયા ધોરીમાર્ગ પર આવેલા મેઘપર ગામના જીતુભાઈ નામના આસામીના મકાનમાં ભાડેથી રહેતા અને મધ્યપ્રદેશના વતની વાસુલાલ જમકલાલ ઉયકે નામના શ્રમિક ગઈ તા. ૨૨ની બપોરે પોતાના રહેણાંકના સ્થળેથી ક્યાંક ચાલ્યા ગયા છે.

તેની સાથે રહેતા અન્ય વ્યક્તિને તેની જાણ થતાં ગઈકાલે મેઘપર પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધ જાહેર કરવામાં આવી છે. પોલીસે આ યુવાનનો ફોટો તેમજ વર્ણન મેળવી તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh