Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ૧પ આસામીના મોબાઈલ ખોવાયા પછી શોધીને પરત આપતી પોલીસ

ચાર મોબાઈલ અન્ય બે રાજ્ય સુધી પહોંચી ગયા હતાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧ઃ જામનગરના ગ્રામ્ય પંથકમાં વસવાટ કરતા ૧પ આસામીના ૧પ મોબાઈલ જુદા જુદા સમયે ગુમ થઈ ગયા હતા. તે મોબાઈલની શોધખોળમાં પોલીસે બે મોબાઈલ બિહાર તથા બે મોબાઈલ ઉત્તરપ્રદેશમાંથી શોધી કાઢવા ઉપરાંત તમામ ૧પ ફોન તેના મૂળ માલિકોને પરત મળે તે માટેની સફળ કાર્યવાહી કરી છે.

જામનગરના દરેડ સહિતના જુદા જુદા ગામોમાં વસવાટ કરતા ૧પ આસામીએ પોતાના મોબાઈલ ખોવાઈ ગયાની પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. તે મોબાઈલ શોધી કાઢવા માટે પંચકોશી બી ડિવિઝનના પીઆઈ વી.જે. રાઠોડ તથા સ્ટાફ દ્વારા સીઈઆઈઆર પોર્ટલના આધારે ચકાસણી કરાઈ રહી હતી. તે દરમિયાન આ ૧પ આસામીના વીવો, સેમસંગ, રીયલમી, વન પ્લસ, ઓપો તેમજ એપલ કંપનીના કુલ ૧પ મોબાઈલ જુદી જુદી જગ્યાએથી શોધી કાઢવામાં આવ્યા છે. જેમાં બે મોબાઈલ ઉત્તરપ્રદેશ તથા બે મોબાઈલ બિહાર રાજ્ય સુધી પહોંચી ગયા હતા. તે તમામ મોબાઈલ હસ્તગત કરી કુલ રૂ.૨,૭૧,૦૯૫ની કિંમતના આ ફોન તેમના મૂળ માલિકોને પોલીસે પરત સોંપ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh