Advertisement
Author: નોબત સમાચાર

નારણપુરમાં મહિલા સરપંચ દ્વારા સત્સંગઃ દીકરીઓનો સન્માન સમારોહ

જામનગર નજીક રણજીતસાગર રોડ પર આવેલા ગામમાં આયોજનઃ

                                                                                                                                                                                                      

તાજેતરમાં નારણપુર ગામમાં મહિલા સરપંચ ભાવનાબેન મહેશભાઈ ચાંદ્રા સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, અને તેઓને એક વિચાર આવ્યો કે 'બેટી બચાવો, બેટી પઢાઓ' સરકાર ઝુંબેશ ચલાવી રહી છે, ત્યારે હું પણ એક મહિલા છું અને મારે પણ કંઈક કરવું જોઈએ, જેથી બાળાઓનો ઉત્સાહ વધે  તેના માટે નારણપુર ગામમાં હાલારી ભાનુશાળી સમાજની વાડીમાં મહિલાઓ માટે સત્સંગ મંડળનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ધોરણ ૧૦ થી કોલેજ સુધીની પાસ થયેલી દીકરીઓને સરપંચ ભાવનાબેન દ્વારા ફૂલહાર કરીને સન્માન કરવામાં આવ્યું હતું, અને દીકરીઓના ઉત્સાહને વધારવા માટે રોકડ પુરસ્કાર પણ અપાયો હતો. સાથોસાથ તમામ મહિલા અને દીકરીઓ માટે નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહ્યા હતા, અને આ કાર્યક્રમનું સંચાલન પૂર્વ સરપંચ મહેશભાઈ ચાંદ્રા દ્વારા કરાયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh