Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંસ્કૃત ભાષાકીય પ્રોત્સાહન નિમિત્તે
ખંભાળિયા તા. ૪: ગુજરાત રાજ્યમાં સંસ્કૃત ભાષાના વિકાસ માટે સંસ્કૃત બોર્ડ- ગાંધીનગર, ગુજરાત રાજ્ય દ્વારા મુખ્યમંત્રીના હસ્તે પાંચ પ્રકલ્પો જાહેર કરવામાં આવેલ છે. જેમાં સંસ્કૃત સપ્તાહ ઉજવણી, સંસ્કૃત સંવર્ધન સહાયતા, સંસ્કૃત પ્રોત્સાહન યોજના, શ્રીમદ્ ભગવદ્ ગીતા યોજના, શતમ સુભાષિત કંઠપાઠ યોજના.
આ પાંચ પ્રકલ્પો પૈકી તા. ૬-૮-૨૦૨૫ના ભગવાન દ્વારકાધીશની નગરી દ્વારકા ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પ્રાથમિક શાળાથી લઈ માધ્યમિક શાળા અને કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત ભાષાની વિવિધ થીમ આધારિતનું આયોજન છે.
ઉપરાંત, તા. ૭-૮-૨૦૨૫ એટલે બીજા દિવસે સંસ્કૃત સંભાષણ દિન તરીકે દરેક શાળાઓમાં ઉજવણી કરવામાં આવશે. જેમાં શાળા કક્ષાએ સંસ્કૃતમાં પ્રાર્થના સંચાલન અને શાળા સંચાલન શ્લોક ગાન, સંવાદ સ્પર્ધા જેવા વિવિધ સંસ્કૃત ભાષાને પોષક અને સંસ્કૃતિ સંવર્ધન કરે તેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
જ્યારે તા. ૮-૮-૨૦૨૫ના સંસ્કૃત સાહિત્ય દિન તરીકે શાળામાં આયોજિત છે. જેમાં સંસ્કૃતના વિવિધ ગ્રંથો એના રચયિતાઓની પ્રદર્શની જાણકારી સંસ્કૃતના વિવિધ સૂકતોની ચિત્રાત્મક રજૂઆત વિઝ્યુઅલ આર્ટ સંસ્કૃત સાહિત્યની સંવેદનાઓ વિદ્યાર્થી/શિક્ષક દ્વારા અભિવ્યક્ત થશે.
આ ત્રિવિધ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ સાથે વાલીઓને પણ અને સંસ્કૃત ભાષા તજજ્ઞોને પણ જોડવાનો છે. તેમજ સંસ્કૃત ભાષાને પ્રોત્સાહિત કરતી અન્ય યોજનાઓ જાણકારી શાળા કક્ષાએથી મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial