Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની નંદધામ સોસાયટીના કોમન પ્લોટમાં ગેરકાયદે બાંધકામ

મહાનગરપાલિકા દ્વારા કોઈ પગલાં નહીં:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: જામનગરની નંદધામ સોસાયટીના કોમન પ્લોટમાં ગેરકાયદે રીતે રહેણાંક કોમર્શિયલ બાંધકામ કરી ભાડાની કમાણી કરવામાં આવે છે. આ બાબતે કડક પગલાં લઈ ગેરકાયદે બાંધકામ દૂર કરવાની માંગ સાથે આજે કમિશનર કચેરીમાં આવેદનપત્ર પાઠવાયું હતું.

એડવોકેટ પ્રતીક રણજીતભાઈ જોષીની આગેવાનીમાં આજે નંદધામ સોસાયટીના રહેવાસીઓએ મહાનગરપાલિકામાં કમિશનર કચેરીમાં આવેદનપત્ર પાઠવાયું હતું, જેમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે, આ સોસાયટીના કોમન પ્લોટમાં અમુક લોકો દ્વારા ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હતું. આથી મહાનગરપાલિકાએ જે-તે સમયે મહેન્દ્ર ગોરધનભાઈ જાદવ, પરબતભાઈ જેઠાભાઈ, ધમાભાઈ સોનગરા, કારાભાઈ પૂંજાભાઈ અસ્વાર, સુનિલ ઓડીચ, રમેશભાઈ કનખરા, દિપેશભાઈ કનખરાને કારણદર્શક નોટીસ આપી હતી. આજે પણ કોમનપ્લોટમાં દબાણ યથાવત્ છે. અને તેના ભાડા ઉઘરાવાઈ રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જો આ બાંધકામ દૂર કરવામાં નહીં આવે તો સોસાયટીના રહીશો દ્વારા ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરાશે તેવી પણ ચિમકી આપવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh