Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિનિયર વકીલ દ્વારા કરવામાં આવી હતી માગણીઃ
જામનગર તા. ૪: જામનગર નજીકના ચેલામાં આવેલા એક ખેતરમાં જવા-આવવાના તથા વરસાદી પાણીના નિકાલ એવા એકમાત્ર માર્ગ પર અડચણ કરાતા મામલતદાર કોર્ટમાં મનાઈહુકમની માગણી કરાઈ હતી. મામલતદારે કાયમી મનાઈહુકમ ફરમાવ્યો છે.
જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર આવેલા ચેલા ગામમાં ઓશવાળ સમાજના સિનિયર વકીલ સુરેશ કેશવજી ચંદરીયા વગેરેના નામની રે.સ.નં.૧૦૨૩માં ખેતીની જમીન આવેલી છે. તે જમીનમાં જવા-આવવાનો માર્ગ, વરસાદી પાણીનો નિકાલ પણ આવેલો છે.
તે સ્થળે શેઢા પાડોશી વિજય રામભાઈ ઓડેદરાએ અડચણ કરતા સુરેશ ચંદરીયાએ જામનગરના ગ્રામ્ય મામલતદારની કોર્ટમાં તેની અરજી કરી વચગાળાના મનાઈહુકમની માગણી કરી હતી. તેનો સામા પક્ષે વિરોધ કર્યા પછી મામલતદાર કોર્ટે સુરેશ ચંદરીયાની ખેતીની જમીનમાં જવા-આવવાનો અને પાણીના નિકાલનો એકમાત્ર માર્ગ હોવાનું જણાઈ આવતા તેઓની અરજી મંજૂર કરી રસ્તા તથા પાણીના નિકાલમાં અડચણ કરવી નહીં તેવો કાયમી મનાઈહુકમ ફરમાવ્યો છે. હુકમનો અનાદાર કરવામાં આવે તો શિક્ષાપાત્ર ગુન્હો નોંધી કાર્યવાહી કરાશે. વાદી સુરેશ ચંદરીયા તરફથી વકીલ હેમલ ચોટાઈ, વી.એચ. બક્ષી, હીરેન ગુઢકા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial