Advertisement
Author: નોબત સમાચાર

ખેતર ફરતે વીજ પ્રવાહ વહેતો મુકવાના બનાવમાં જામીન મંજૂર

પસાયા બેરાજાના ખેડૂતે કરી હતી અરજીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગર નજીકના પસાયા બેરાજા ગામના એક ખેડૂત સામે ફેન્સીંગમાં ઈલેકટ્રીક પ્રવાહ વહેતો મુકવાથી યુવાનનું મોત થયાનો ગુન્હો નોંધાયો હતો. તેમાં ખેડૂતને જામીન પર મુકત કરવાનો હુકમ કરાયો છે.

જામનગરના પસાયા બેરાજા ગામાં થોડા દિવસ પહેલાં એક યુવાન પોતાના ઘેટા બકરા ચરાવવા માટે ગયા હતા. ત્યારે નજીકમાં આવેલા એક ખેતર ફરતે લગાડાયેલી ફેન્સીંગમાંથી વીજ આંચકો લાગતા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું.

આ બાબતની પોલીસમાં ફરિયાદ કરાતા પંચકોશી એ ડિવિઝન પોલીસે કનુભા ઉર્ફે ભીખુભા રામસંગ રાઠોડ સામે ગુન્હો નોંધી ધરપકડ કરી હતી. આ આરોપીએ જામીન મુક્ત થવા અદાલતમાં અરજી કરતા તેને રૂ.૧પ હજારના જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ અશોક જોષી, મોહસીન ખારા, પ્રદીપ મકવાણા, સઈદ રૃંઝા, જયોતિ પરમાર રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh