Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'આપ'ના ગુજરાત પ્રદેશ પ્રમુખે મુલાકાત લીધીઃ
ખંભાળિયા તા.૨ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે પોલીસના અત્યાચારથી એક નવયુવાને ઝેરી દવા પી લીધી હતી અને તેનું મૃત્યુ થયું હતું. આ મુદ્દે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને જાણ થતા તેઓએ પરિવારની મુલાકાત લીધી હતી અને પરિવારના દુખમાં સહભાગી થયા હતા.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી અને ગૃહમંત્રી કહેતા હોય છે કે ગુજરાતમાં કાયદો-વ્યવસ્થા બરાબર છે અને કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે તો હું તમને કહેવા માંગું છું કે આજે હું ભરાણા ગામમાં ઉભો છું. અહીંયા આ ગામના બે યુવાનોને પોલીસ દ્વારા જાહેરમાં લાકડીઓથી માર મારવામાં આવે છે અને એફઆઈઆર કરવામાં આવે છે અને વારંવાર અપમાન પણ કરવામાં આવ્યું હતું. જેના કારણે તેણે આ પગલું ભર્યું હતું. યુવાને હોસ્પિટલમાંથી પણ આ જ નિવેદન આપ્યું હતું અને ત્યારપછી યુવાન મૃત્યુ પામે છે તેમ છતાં પણ પોલીસે આ મુદ્દે જવાબદાર સામે ફરિયાદ દાખલ કરી નથી.
હાલમાં પોલીસ વિરૂદ્ધ એફઆઈઆર લેવામાં આવતી નથી. પોલીસ વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને એક પરિવારે પોતાનો એકનો એક પુત્ર ગૂમાવી દીધો. પરિવાર એસપી સુધી ગયો અને પરિવારની પાસે એ યુવાનનો વીડિયો પણ છે જેમાં તે પોતે આ ઘટના વિશે વાત કરી રહ્યો છે તો બીજા ક્યા પુરાવા પોલીસે હજુ જોઈએ? આ બાબતની તપાસ માટે એસઆઈટીની રચનાની માગણી કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial