Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાશી વિશ્વનાથ યુવક મંડળ (સમસ્ત ખવાસ રજપૂત સમાજ) દ્વારા ભવ્ય આયોજનઃ મહાઆરતી સાથે સમાપન
'છોટી કાશી' તરીકે ખ્યાતિ પામેલા જામનગર શહેરમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તિમય માહોલ સર્જાયો હતો. આ પાવન અવસરે, સુપ્રસિદ્ધ ૧૩૩ વર્ષ જુના કાશી વિશ્વનાથ મંદિરમાં બિરાજમાન કાશી વિશ્વનાથ મહાદેવના આશીર્વાદથી, કાશી વિશ્વનાથ યુવક મંડળ (સમસ્ત ખવાસ રજપૂત સમાજ, જામનગર) દ્વારા ચોથા વર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે દિવ્ય અને ભવ્ય પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર હિન્દુ સમાજમાંથી મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી અને શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ ભવ્ય પાલખી યાત્રાનું પ્રસ્થાન શહેરના નાગનાથ ગેઇટ વિસ્તારમાં આવેલી ખવાસ જ્ઞાતિની વાડી, ખેત્રીફળીથી કરવામાં આવ્યું હતું. અહીંથી મહાદેવના જયઘોષ સાથે પાલખી યાત્રાએ શહેરના રાજમાર્ગો પર ભ્રમણ માટે પ્રયાણ કર્યું હતું. યાત્રાના સમગ્ર રૂટ પર ભક્તો દ્વારા ઠેર-ઠેર પુષ્પવર્ષા અને હારતોરાથી ભોળાનાથની પાલખીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પાલખી યાત્રા નિર્ધારિત રૂટ મુજબ, સવાભાઈની શેરી, કરશનભાઈનો ચોક, દેવુભાનો ચોક, ચારણ ફળી, દાવલશા ફળી, શાક માર્કેટ, ઉપલું દાવલશા ફળી, દિપક ટોકીઝ, ચૌહાણ ફળી, તળાવ ફળી, પંચેશ્વર ટાવર, સુપર માર્કેટ અને બેડી ગેઇટ જેવા મુખ્ય માર્ગો પર ફરી હતી. ડી.જે.ના તાલે શિવધૂન અને ભજનોની રમઝટ બોલતા યુવાનો, મહિલાઓ અને વડીલો સહિત ભક્તિરસમાં તરબોળ જોવા મળ્યા હતા. યાત્રાના માર્ગ પર 'હર હર મહાદેવ' અને 'જય કાશી વિશ્વનાથ'ના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. અંતે, આ પાલખી યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરીને કાશી વિશ્વનાથ મંદિર રોડ પર આવેલા નિજ મંદિરે પહોંચી હતી, જ્યાં મહાઆરતી સાથે યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial