Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧: ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ સમાજ જામનગર દ્વારા પ્રફુલભાઈ વ્યાસના માર્ગદર્શન હેઠળ તા. ૧૯-૭-૨૫ શનિવારના આયોજીત ત્રિવિધ કાર્યક્રમ શ્રી સરસ્વતી સન્માન સમારોહ, વરિષ્ઠ વડીલ વંદના તેમજ ડો. નિલેષભાઈ લલિતચંદ્ર વ્યાસ (જ્યોતિષાચાર્ય) દ્વારા જ્ઞાતિના કર્મકાંડી ભૂદેવોના સન્માનનો કાર્યક્રમ જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો.
આ કાર્યક્રમમાં જ્ઞાતિજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વરિષ્ઠ વડીલ વંદના કાર્યક્રમમાં જ્ઞાતિના વડીલોની હાજરી કાર્યકરોના ઉત્સાહવર્ધક રહી, ઘણાં વડીલોની આંખમાં હર્ષના આંસુ સાથે પરિવાર જેવી લાગણીઓ જોવા મળી હતી, ખાસ આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે જ્ઞાતિના વરિષ્ઠ વડીલ કે જેઓની ઉંમર ૯૫ વર્ષની હોય તેઓેએ પણ ત્યાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી, સાથોસાથ જ્ઞાતિના કર્મકાંડી ભૂદેવોનું બ્રહ્મ ગૌરવ સન્માન પ્રાપ્ત કરી અને દરેક ભૂદેવોએ જ્ઞાતિજનોને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર દ્વારા આશીર્વાદ પાઠવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન આયોજક સમિતિના કલ્પેશભાઈ ભટ્ટ, કિરીટભાઈ ઠાકર, કપિલભાઈ રાવલ, આશુતોષભાઈ વ્યાસે તથા કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial