Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાધીશ મંદિરમાં હરિયાળી અમાસની પરંપરાગત ઉજવણીઃ ભાવિકો ઉમટી પડ્યા

ભાવિકોએ ગોમતી સ્નાન કરી પૂણ્યનું ભાથુ બાંધ્યુ

                                                                                                                                                                                                      

શ્રાવણ માસની શરૂઆત પૂર્વે હરિયાળી અમાવસ્યા નિમિતે દ્વારકાધીશ જગતમંદિરમાં વારાવાર પૂજારી દ્વારા ઠાકોરજીને વિશિષ્ટ શૃંગાર યોજવામાં આવ્યા હતા. ઠાકોરજીના શૃંગાર દર્શન સમયે નિજસભાખંડને લીલી હરિયાળીથી સુશોભિત કરવામાં આવી હતી. મોટી અમાસ હોય, દૂર-દૂરથી આવેલા ભાવિકોએ પરંપરા અનુસાર વહેલી સવારે સૌપ્રથમ પવિત્ર ગોમતી નદીમાં સ્નાન પુરૃં કરી પૂણ્યનું ભાથુ બાંધ્યુ હતું. ત્યાર પછી છપ્પન સીડી સ્વર્ગ દ્વારેથી જગતમંદિરમાં પ્રવેશી શ્રીજીના દિવ્ય દર્શનનો લાભ લીધો હતો. આ ઉપરાંત મોક્ષ દ્વાર પાસેના પટાંગણમાં પણ ભાવિકોની ભીડ સાથે કતારો જોવા મળી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh