Advertisement
Author: નોબત સમાચાર

૧૪ માંથી ૧૩ મિલકતધારકોએ વેરો ભરપાઈ કરી આપતા હરાજી મોકૂફ

જામનગર મહાનગરપાલિકામાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૧: જામનગર મહાનરપાલિકા દ્વારા મિલકત વેરો ભરપાઈ નહિં કરનારની મિલકતો જપ્ત કરી તેની હરાજી કરવાની પ્રક્રિયા હાથ ધરતા જ ૧૪ માંથી ૧૩ મિલકતધારક દ્વારા વેરો ભરપાઈ કરી આપવામાં આવતા હાલ હરાજીની પ્રક્રિયા બંધ રાખવામાં આવી છે. જામનગર મહાનગર પાલિકાની મિલકતવેરા શાખા દ્વારા કુલ ૧૪ મિલકતોની તા. ર૩-૩-ર૦ર૬ ના જાહેર હરાજી કરવા માટે જાહેર નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.

પરંતુ તા. ૧ર-૩-ર૦ર૬ ના આ ૧૪ બાકીદારો પૈકી ૧૩ બાકીદારો દ્વારા બાકી વેરાની રકમ ભરપાઈ કરી આપેલ હોય, બાકી રહેતી ૧ મિલકતની હરાજી હવે પછી બીજી મિલકતોની જાહેર હરાજી કરવામાં આવશે ત્યારે કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે. આથી તા. ર૩-૩-ર૦ર૬ ના રાખવામાં આવેલ જાહેર હરાજી રદ્ કરવામાં આવે છે, તેમ જામનગર મહાનગર પાલિકાના આસી. કમિશનર (ટેક્ષ) ની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh