Advertisement
Author: નોબત સમાચાર

છોટીકાશીમાં ભવ્ય રામસવારીના આયોજન અર્થે આયોજકોની બેઠક

રામનવમીના તહેવારને અનુલક્ષીને

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: 'છોટીકાશી' જામનગર શહેરમાં સાડાચાર દાયકાથી મહાદેવ હર મિત્ર મંડળ અને હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા રામનવમીના ધાર્મિક પર્વે 'રામસવારી'ની ભવ્ય નગર શોભાયાત્રા યોજવામાં આવે છે.

ચાલુ વર્ષ દરમિયાન ચૈત્ર સુદ નોમ રામનવમીનો તહેવાર આગામી તા. ર૬-૩-ર૦ર૬ ને શનિવારે આવી રહ્યો છે અને સતત ૪પ મા વર્ષે ભવ્ય રામસવારીનું ઉત્સાહભર્યા વાતાવરણમાં આયોજન થઈ રહ્યું છે, ત્યારે ઉપરોક્ત બન્ને આયોજક સંસ્થાઓ દ્વારા આ વખતની રામસવારી માટે પૂર્વ વિચારણા તેમજ કાર્યક્રમના આયોજન સંબંધી પ્રથમ મિટિંગ તા. ૧૪-૩-ર૦ર૬ ને શનિવારના રાત્રિના ૯ કલાકે શ્રી રામદૂત હનુમાનજી મંદિર, પંચેશ્વર ટાવર પાસે યોજવામાં આવી છે.

આ બેઠકમાં શહેરની તમામ ધાર્મિક સંસ્થાઓ, જ્ઞાતિ મંડળો, સેવાભાવી સંસ્થાઓ, કીર્તન-ધૂન મંડળો, ચલિત ફ્લોટે કે સ્થાયી સેવાકેન્દ્ર સાથે જોડાવા ઈચ્છુક સહયોગીઓને આયોજનની રૂપરેખા સાથે સમયસર ઉપસ્થિત રહેવા મહાદેવ હર મિત્રમંડળ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ વ્યાસ (મહાદેવ) દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh