Advertisement
Author: નોબત સમાચાર

ધ્રાફામાં પરિણીતાએ અગમ્ય કારણથી ખાધો ગળાફાંસો

બહારગામ જવાની વાત કર્યા પછી મહિલાએ કર્યું વિષપાનઃ નદીમાં ડૂબી ગયેલા યુવકનું મૃત્યુઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગરના ધુતારપર ગામમાં એક મહિલાએ પતિ સમક્ષ માવતરે જવાની અને કામધંધા માટે બીજા શહેરમાં જવાની વાત કર્યા પછી કોઈ કારણથી ઝેરી દવા પી જિંદગીનો અંત આણી લીધો છે. જ્યારે ધ્રાફામાં એક પરિણીતાએ અગમ્ય કારણથી ગળાફાંસો ખાઈ લીધો છે. કલ્યાણપુરના મેઘપર ટીટોડી ગામમાં નદીમાં કોઈ રીતે પડી ગયેલા યુવાન ડૂબી જઈ મોતને શરણ થયા છે.

જામનગરના ધુતારપર ગામમાં રહેતા લક્ષ્મીબેન છગનભાઈ રાઠોડ ઉર્ફે લખીબેન (ઉ.વ.૪૦) નામના પરિણીતાએ ગયા રવિવારે પતિ છગનભાઈ ભાણજીભાઈ રાઠોડને માવતરે આંટો મારવા જવું છે તેમ કહ્યું હતું.

આ વેળાએ તેઓએ કામધંધા માટે રાજકોટ રહેવા જતુ રહેવું છે તેમ પણ કહ્યું હતું પરંતુ છગનભાઈએ બંને માટે ના પાડી હતી. તે પછી લખીબેન માવતરે ગયા હતા જ્યાંથી મંગળવારે ધુતારપર આવવા માટે રવાના થયા હતા. રસ્તામાં આ બાબતનો વિચાર કરતા આવતા લખીબેને ધુડશીયા પાસે ઉતરી જઈ પોતાના ફઈ વિદ્યાબેન દિનેશભાઈ રાઠોડના ઘર પાસે જઈ કોઈ ઝેરી દવા ગટગટાવી હતી. આ મહિલાને સારવાર માટે ધુતારપર દવાખાને લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. પતિ છગનભાઈએ પોલીસને જાણ કરી છે.

જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં વસવાટ કરતા નિશાલભાઈ રામજીભાઈ સીતાપરા ઉર્ફે રાહુલભાઈના પત્ની પૂજાબેન (ઉ.વ.ર૮) મંગળવારે રાત્રે પોતાના ઘરે વાળુ કર્યા પછી અગિયારેક વાગ્યે સૂવા માટે ગયા હતા. તે પછી બુધવારની સવારે પાંચેક વાગ્યે ઉંઘમાંથી ઉઠેલા રાહુલભાઈએ પોતાના પત્નીને ઓરડામાં રહેલા છતના હુંકમાં બાંધવામાં આવેલા સાડીના ગાળીયામાં ટીંગાતા જોઈ પોલીસને જાણ કરી હતી. દોડી આવેલી પોલીસે પૂજાબેનને નીચે ઉતારી ચકાસતા તેણી મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પોલીસે પતિનું નિવેદન નોંધ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામમાં રહેતા હમીરભાઈ બાવાભાઈ પરમાર (ઉ.વ.૪૦) નામના યુવાન મંગળવારે બપોરે ગામ નજીક વહેતી કુંતી નદી પાસે પહોંચ્યા પછી કોઈ રીતે તેમાં પડી જતાં ડૂબી જવાથી મોતને શરણ થયા છે. મૃતકના સંબંધી ખીમાભાઈ નારણભાઈ પરમારે પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh