Advertisement
Author: નોબત સમાચાર

જામ્યુકોની ફૂડશાખાએ શંકાસ્પદ ખાદ્યચીજોના નમૂના લેબોરેટરીમાં મોકલ્યાઃ સઘન તપાસ

તહેવારો ટાણે તંત્રો સતર્કઃ ચેકીંગ શરૂ.

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: તહેવારોને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગર પાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં અનેક ધંધાકીય સ્થળેથી ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતાં અને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતાં.

દિવાળીના તહેવારોને અનુલક્ષીને જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીની સૂચનાથી ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા લીમડાલાઈન, પાંચ હાટડી, ગ્રેઈન માર્કેટ, કાલાવડ નાકા બહાર, ત્રણબત્તી, દરબારગઢ, ઈન્દિરા માર્ગ, શંકરટેકરી, ગુરુદ્વારા ચોકડી, અંબર ચોકડી, બેડીગેઈટ, પટેલ કોલોની વિસ્તારમાંથી પનીર, ફાફડા ગાંઠિયા, જલેબી, બેસન, ઘી, માવો, ભેંસનું દૂધ, બેકરી પ્રોડક્ટ્સ, ખાદ્યતેલ, સુગર બોઈલ્ડ, કન્ફેશનરી (પેક), ખાદ્ય પદાર્થોના નમૂના લેવાયા હતાં અને વડોદરાની લેબોરેટરીમાં મોકલી આપ્યા હતાં.

આ ઉપરાંત ફૂડ વિભાગની ટીમે રાષ્ટ્રપતિના એરપોર્ટ આગમન સમયે પણ પોતાની જરૂ.રી ફરજ બજાવી હતી, અને વીવીઆઈપી  ર૦ સર્વેલન્સના નમૂના લીધા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh