Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
                                                    કમોસમી વરસાદથી પાક નિષ્ફળ જતાં
ભાણવડ તા. ૩: ભાણવડ તાલુકાના જામપર ગામનાં માનસિક બીમાર ખેડૂતે બેંકનું દેવું વધી ગયા પછી તાજેતરમાં થયેલા કમોસમી વરસાદમાં પાકને નુકસાન થતાં ડીપ્રેશનમાં આવી પાણીમાં ઝંપલાવી દઈ આત્મહત્યા કરી લેતા અરેરાટી છવાઈ છે, પોલીસે લાશનો કબ્જો સંભાળી પી.એમ. માટે મોકલી તપાસ હાથ ધરી છે.
આ કરૂણ બનાવની મળતી વિગત મુજબ ભાણવડ તાલુકાના જામપર ગામે રહેતો અને ખેતીનો વ્યવસાય સંભાળતો કરસન કેશુરભાઈ વાવણોટિયા નામનો આહિર યુવાન છેલ્લા પાંચેક વર્ષથી માનસિક બીમાર હતો, વધુમાં તેમણે બેંકમાંથી ગોલ્ડ લોન પણ લીધી હતી. અને લોનના હપ્તા માથે ચડી ગયા હતા.
બીજી બાજુ તાજેતરમાં પડેલા કમોસમી વરસાદથી પાકને વ્યાપક નુકસાન થયું હોવાનું સામે આવતા ખેડૂત કરસન કેશુરભાઈ વાવણોટિયા માનસિક તણાવમાં આવી ગયા હતા. અને ડિપ્રેશન હેઠળ તે ઘરેથી ભાણવડ બેંકમાં જવાનું કહી નીકળી ગયા હતા. બાદમાં કપુરડી નેશ પાછળ પાણીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા, પરિવારમાં ગમગીની છવાઈ છે.
મૃતકના પરિવારના અરસીભાઈ લખમણભાઈ વાવણોટિયાએ આ બનાવની જાણ પોલીસને કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial