Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અકસ્માતમાં સદ્નસીબે જાનહાની ટળીઃ
જામનગર તા. ૫: જામજોધપુર તાલુકાના સતાપર ગામથી ખાગસરી ગામ વચ્ચે ગઈકાલે સવારે એક પરિવારની જીપ તેના ચાલકના કાબુ બહાર જઈ પલ્ટી મારી ગઈ હતી. સીમંત પ્રસંગમાં જઈ રહેલા એક જ પરિવારના દસ વ્યક્તિને આ અકસ્માતમાં ઈજા થઈ છે.
જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામમાં એક પરિવારની જીપ ગઈકાલે કુટુંબમાં યોજાયેલા સીમંત પ્રસંગમાં હાજરી આપવા માટે રવાના કરવામાં આવી હતી. તે જીપ જ્યારે સવારે દસેક વાગ્યે જામજોધપુર તાલુકાના સતાપર ગામથી ખાગસરી ગામ વચ્ચે પહોંચી ત્યારે કોઈ રીતે ચાલકના કાબુ બહાર ગઈ હતી.
બેકાબુ બનેલી આ જીપ રોડ ઉતરી જઈને ગોથું મારી ગઈ હતી. તેમાં મુસાફરી કરી રહેલા વ્યક્તિઓએ ચીસો પાડી હતી. જેના પગલે આજુબાજુના ખેતરોમાં કામ કરતા લોકો દોડી આવ્યા હતા. ૧૦૮ને જાણ કરવામાં આવતા એમ્બ્યુલન્સ પણ ધસી આવી હતી. જીપમાંથી વારાફરતી દસ વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા પછી તમામ ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં સદ્નસીબે કોઈ જાનહાની થઈ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial