Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાઃ શક્તિનગરના ખેતરમાં ગોઠવાયેલ જીવતા વીજવાયરથી નંદીના મોતથી ઉગ્ર રોષ

જીવદયા રાખનારા લોકોમાં ભારે નારાજગી

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૩૦: ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં એક ખેડૂતના ખેતરમાં પશુઓનો ત્રાસ રહેતો હોય, આ ખેતરમાં ખુલ્લા વીજ વાયરો ગોઠવતા તેમાં એક નંદીને શોક લાગતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. મરેલા આ નંદીને ટ્રેક્ટર પાછળ બાંધીને તેનો નિકાલ કરવા તજવીજ થતા એનિમલ કેર સંસ્થા ખંભાળિયાને જાણ થતા તેમણે ઘટના સ્થળે પહોંચીને આ નંદીના મૃતદેહ તથા વાડી અને જીવંત વીજ વાયરોનું રેકોર્ડીંગ કરીને ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી છે.

જીવંત વીજ વાયરોને કારણે અગાઉ પશુ તો ઠીક પણ માનવ જિંદગી પણ આ વાયરોથી મૃત્યુ થયાના બનાવો પણ બન્યા હોવા છતાં ખેડૂતો દ્વારા રખાતા આવા વીજશોકનો મુદ્દો ભારે રોષપાત્ર બન્યો છે તથા અબોલ જીવો પ્રત્યે સંવેદના રાખનારાઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh