Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં સજા થયા પછી નાસી ગયેલા ચાર આરોપી પકડાયા

ચારેય આરોપીને જેલહવાલે કરાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: જામનગરના ચાર શખ્સ સામે ચેક પરતના કેસ ચાલી જતાં અદાલતે સજા ફટકારી હતી અને આ શખ્સો નાસી ગયા હતા. ચારેય આરોપીને પોલીસે પકડી લઈ જેલમાં મોકલી આપ્યા છે.

જામનગરના મયુરનગર રોડ પર આવેલા આઠ માળીયા આવાસમાં રહેતા કિશન ભરતભાઈ કંસારા નામના શખ્સ સામે વર્ષ ૨૦૨૨માં અદાલતમાં ચેક પરતની ફરિયાદ થઈ હતી. જ્યારે કામદાર કોલોની પાસે શક્તિનગરમાં વસવાટ કરતા દીનેશ લાલજીભાઈ બાંભવા સામે પણ ચેક રિટર્નની રાવ થઈ હતી.

તે ઉપરાંત વર્ષ ૨૦૨૧માં મયુર એવન્યુમાં રહેતા મોહનભાઈ ભીખાભાઈ સોનગરા તેમજ માધવ બાગ-૧માં રહેતા પરેશ મશરીભાઈ છૈયા નામના શખ્સ સામે વર્ષ ૨૦૨૪માં અદાલતમાં ચેક રિટર્નની ફરિયાદ કરવામાં આવી હતી. ચારેય શખ્સને અદાલતે સજા ફટકારી હતી. સજાના હુકમ સમયે અદાલતમાં હાજર ન રહેલા આ શખ્સો સામે વોરંટ કાઢવામાં આવ્યું હતું. આ ચારેય શખ્સને સિટી સી ડિવિઝનના પીઆઈ એન.બી. ડાભીની સૂચનાથી પીએસઆઈ વી.એ. પરમાર તથા સ્ટાફે પકડી પાડ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh