Advertisement
Author: નોબત સમાચાર

વરસાદી પાણીના કારણે થયેલા નુકસાનનું રૂા.૧પ લાખનું વળતર ચૂકવવા કરાયો આદેશ

વેપારીએ ગ્રાહક ફોરમમાં કરી હતી ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: જામનગરમાં ગયા વર્ષે એક દુકાનમાં ભરાઈ ગયેલા વરસાદી પાણીના કારણે થયેલુ નુકસાન વીમા કંપનીએ ન ચૂકવતા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે વળતર પેટે રૂા.૧૫ લાખ વ્યાજ સાથે ચૂકવી આપવા આદેશ કર્યાે છે.

જામનગરના ત્રણ દરવાજાથી બેડીના નાકા તરફના રોડ પર આવેલી ભારત એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાં વર્ષ ૨૦૨૪ના ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા. જેનાથી દુકાનમાં પડેલો માલ સામાન પલળી જતા રૂા.૧૯,૮૩,૧૪૮નું નુકસાન થયું હતું.

આ નુકસાની અંગે દુકાનદાર ઈમ્તિયાઝ ઈકબાલભાઈએ વીમા કંપની પાસે લીધેલી પોલિસી અન્વયે ક્લેઈમ કર્યાે હતો. સર્વેયર દ્વારા તેની આકારણી કરવામાં આવ્યા પછી વીમા કંપનીએ કલેઈમ રદ્દ કર્યાે હતો. આથી વેપારીએ ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ નોંધાવી હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમે રૂા.૧૫ લાખ ૬ ટકાના વાર્ષિક વ્યાજ સાથે ચૂકવી આપવા અને યોગ્ય સમયમાં રકમ ન ચૂકવાય તો વ્યાજ ૯ ટકા લેખે ગણવા તેમજ ફરિયાદ ખર્ચ પેટે રૂા.પ હજાર અલગથી આપવા વીમા કંપનીને આદેશ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh