Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
થ્રેસર મશીનમાં ફસાઈ જતાં શ્રમિક પર કાળનો પંજોઃ
જામનગર તા. ૧૪: જામજોધપુરના ગઢકડા ગામમાં ગઈકાલે પોતાના ઘરેથી ખેતરે બકરીઓ માટે ચારો લેવા ગયેલા મહિલાને પગમાં કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું તેની અસર થઈ જતાં મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ઈશ્વરીયા ગામમાં ગઈરાત્રે થ્રેસર મશીનમાં ફસાઈ ગયેલા યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું છે.
જામજોધપુર તાલુકાના ગઢકડા ગામમાં વસવાટ કરતા રહેમતબેન ઈરફાનભાઈ ઉનડ નામના તેતાલીસ વર્ષના મહિલા ગઈકાલે સવારે પોતાના ઘરેથી બકરી માટે ઘાસચારો લેવા પોતાના ખેતરના શેઢા પાસે ગયા ત્યારે કોઈ ઝેરી જનાવર તેમના પગની પેનીમાં કરડી ગયું હતું. સારવાર માટે ખસેડવામાં આવેલા આ મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. પતિ ઈરફાનભાઈ ઉમરભાઈ ઉનડે પોલીસને જાણ કરી છે.
જામજોધપુર તાલુકાના ઈશ્વરીયા ગામમાં રહેતા મુકેશભાઈ ભીખાભાઈ બળીયાવદરા (ઉ.વ.૪૬) નામના શ્રમિક ગઈરાત્રે હેમતભાઈ હીરાભાઈ બગડાના ખેતરમાં મગફળી કાઢતા હતા ત્યારે કોઈ રીતે થ્રેસર મશીનમાં ફસાઈ જતા ગંભીર ઈજા પામ્યા હતા. આ યુવાનનું આજે વહેલી સવારે મૃત્યુ નિપજ્યું છે. પિતા ભીખાભાઈ બળીયાવદરાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial