Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મંદિર ટ્રસ્ટના પ્રમુખ, દાતા કપૂરિયા પરિવાર તથા રામાણી પરિવારના સભ્યો અને મહાનુભાવો ઉપસ્થિત
જામનગર તા. ૧૪: જામનગરના સુપ્રસિદ્ધ શ્રી બાલા હનુમાનજીના મંદિરના સત્સંગ હોલ માટે વિશાળ કદના પંખાનું કપુરીયા પરિવાર દ્વારા અનુદાન અપાયું હતું.
જામનગરના સુપ્રસિદ્ધ શ્રી બાલા હનુમાનજીના મંદિરમાં જ્યાં વિશ્વ પ્રસિદ્ધ અખંડ રામધૂન ચાલી રહી છે, તે મુખ્ય સત્સંગ હોલમાં ભક્તજનોને ઉનાળાના સમયમાં ઠંડક મળી રહે તેના ભાગરૂપે વિશાળ કદના પંખાનું વડોદરાના કપુરીયા પરિવાર દ્વારા અનુદાન કરવામાં આવ્યું છે. સ્વ. રમેશભાઈ વાલજીભાઈ કપુરીયા (શ્રી લેઉવા પટેલ સેવા સમાજના આજીવન ટ્રસ્ટી)ની આ ઈચ્છા પૂરી કરવા અને તેમના સ્મરણાર્થે તેમના પુત્ર કલ્પેશભાઈ, મે. ગોલ્ડન એન્જિનિયરીંગ કંપની પ્રા.લિ., વડોદરા દ્વારા જામનગરના બાલા હનુમાન મંદિરમાં આશરે રૂપિયા દોઢ લાખની કિંમતના ૧૬ ફુટ ના વિશાળ હેલીફેન પંખાનું અનુદાન આપ્યું હતું.
તાજેતરમાં તેના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો, અને તે પંખો શ્રી બાલા હનુમાન મંદિરના સત્સંગ હોલમાં લગાવીને શરૂ કરી દેવાયો છે, આ તકે કપુરીયા પરિવાર તથા જામનગરના સ્વ. મહેશભાઈ રામાણી પરિવારના સભ્યો ઉપસ્થિત રહૃાા હતા. તેઓનું મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલ ઉપરાંત અન્ય ટ્રસ્ટીગણ રવિન્દ્રભાઈ જોશી, કનુભાઈ કોટક, કિરીટભાઈ ભદ્રા, ઉદયસિંહ વાઢેર, પાર્થભાઈ પંડ્યા વગેરે દ્વારા કપુરીયા પરિવાર તથા રામાણી પરિવારનું અભિવાદન કરાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial