Advertisement
Author: નોબત સમાચાર

'છોટીકાશી'માં નાગરાણીઓ દ્વારા બેઠા ગરબા વડે શક્તિ ઉપાસના

નવરાત્રિમાં નાગર જ્ઞાતિની આદ્યશક્તિની આરાધનાની વિશિષ્ટ પદ્ધતિ

                                                                                                                                                                                                      

'છોટીકાશી' જામનગરમાં અનેક પ્રાચીન-અર્વાચીન ગરબીઓ પોતાની વિવિધ વિશિષ્ટતાઓને લઇને પ્રખ્યાત છે ત્યારે નગરમાં વડનગરા નાગર જ્ઞાતિની મહિલાઓ દ્વારા બેઠા ગરબાનું આયોજન પણ એક અનોખી ભાત પાડનારૃ અને શક્તિ ઉપાસનામાં સંગીતનો સૂર ઉમેરનારૃ છે. હવાઇ ચોક નજીક સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર સંલગ્ન જ્ઞાતિની જગ્યામાં શારદીય નવરાત્રિમાં પ્રતિદિન બેઠા ગરબા ગાવામાં આવે છે. ગરબા મંડળનાં ઉર્વશીબેન વૈષ્ણવની હયાતીમાં જે રમઝટ થતી એ જ નવી પેઢીએ પણ વડીલોની નિશ્રામાં યથાવત રાખી છે. બાળકો પણ આ ગરબામાં ભાગ લ્યે છે જેને પગલે જ્ઞાતિની આગવી ઓળખ સમાન પરંપરાનું સંસ્કારરૃપે આવનારી પેઢીમાં સિંચન થાય છે. બહેનો દ્વારા સૂરીલા કંઠે માતાજીનાં ગરબા ગાવા અને ઝીલવામાં આવે છે ત્યારે શબ્દ, લય અને ભક્તિનાં ત્રિવેણી સંગમથી વાતાવરણ દિવ્ય થઇ જાય છે અને માતાનાં સાક્ષાત્કારની અનુભૂતિ સૌને થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh