Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા
જામનગર તા. ૧: જામનગરના વીજપોલ, ડીવાઈડરમાં અનેક સ્થળેથી જાહેરાતના કિયોસ્ક બોર્ડને ગઈકાલે મહાનગરપાલિકા દ્વારા ઉતારી લેવાયા હતાં. મંજુરી મેળવ્યા વગર આવા જાહેરાતના બોર્ડ લગાવાયા હોવાથી મહાનગરપાલિકા તંત્ર દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.
જામનગરમાં તહેવારોના કારણે અનેક ધંધાર્થીઓએ પોતાના ધંધા-વ્યવસાયની જાહેરાત કરતા જાહેરાતના બોર્ડ ચોતરફ લટકાવી દીધા છે, જેની સામે ગઈકાલે મહાનગરપાલિકા દ્વારા ઝુંબેશ કરવામાં આવી હતી અને શહેરના અલગ-અલગ વિસ્તારો જેવા કે ડીકેવી રોડ, ખોડિયાર કોલોની, રણજીતસાગર રોડ, સમર્પણ રોડ વિગેરે સ્થળે રોડ ડીવાઈડર, વીજપોલમાં લટકાવાયેલા આશરે ૧ર૦ થી વધુ કિયોસ્ક બોર્ડ ઉતારી લીધા હતાં. ઉપરાંત મધ્યમ કદના ચાર-પાંચ બોર્ડ પણ ઉતારી લઈ કબજે કર્યા હતાં. આ કામગીરી મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial