Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરની ઐતિહાસિક ઓળખ થઈ પુનઃ બુલંદ
જામનગર તા. ૧૯: જામનગરમાં તળાવની પાળ પર આવેલ ભૂજિયા કોઠાના રેસ્ટોરેશનનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે, અને આવતીકાલે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેનું ઈ-લોકાર્પણ થવાનું છે, ત્યારે ગત્ રાત્રે ભૂજિયા કોઠાના ઉપરના મજલે રોશની કરવામાં આવી હતી.
તિરંગાની થીમ સહિતની લાઈટીંગથી ભૂજિયો કોઠો ઝળહળી ઊઠ્યો હતો, અને કાળની થપાટો અને ભૂકંપના કારણે ગુમનામીના અંધારામાં ખોવાઈ ગયેલી આ ઐતિહાસિક ઈમારતની ઓળખ ફરીથી પ્રકાશમાં આવી હતી, એમ કહી શકાય. ઊંચાઈ પર આવેલ હોવાને કારણે ભૂજિયા કોઠાની લાઈટીંગ આસપાસના અનેક વિસ્તારોમાંથી નિહાળી શકાશે જેને કારણે આ ઈમારત નગરની ઐતિહાસિક ગૌરવની દીવાદાંડી સમાન લાગશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial