Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અખંડ રામધૂન સાથે હનુમાન જયંતી નિમિત્તે
જામનગરના પ્રખ્યાત બાલાહનુમાન મંદિરે હનુમાન જયંતીના પાવન અવસરે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જામનગરના નવનિયુક્ત કલેક્ટર પરિમલભાઈ પંડ્યા પરિવાર સાથે હાજર રહ્યા હતાં અને બાલાહનુમાનજીના મંદિરમાં શીશ ઝૂંકાવ્યું હતું. જિલ્લા કલેક્ટરે મંદિરે પહોંચી હનુમાનજીના દર્શન-પૂજનનો લાભ લીધો હતો અને જિલ્લામાં સુખ-સમૃદ્ધિ તથા શાંતિ માટે પ્રાર્થના કરી હતી. મહાઆરતી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતાં અને શ્રી રામ જય રામ જય જય રામની અખંડ રામધૂનના મહાજાપને લઈને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial