Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નીચેની કોર્ટે દોષિત ઠેરવ્યા હતાઃ
જામનગર તા. ૨૧: ખંભાળિયાના ભાડથર ગામના એક આસામીને રૂ.૧૬ લાખથી વધુની રકમના ચેક પરતના કેસમાં દોષિત ઠરાવાયા પછી તેની સામે કરાયેલી અપીલમાં અદાલતે તેઓનો છૂટકારો ફરમાવ્યો છે.
ખંભાળિયા તાલુકાના ભાડથર ગામના રહેવાસી અને આશા કૃષિ કેફટ નામની પેઢીના પ્રોપરાઈટર જેસાભાઈ રણમલભાઈ ગોજીયા સામે રૂ.૧૬,૩૯,૩૯૦ની રકમનો ચેક પરત ફર્યાની બિલનાથ ખેતી વિકાસ કેન્દ્રના રણજીતભાઈ હીરાભાઈ હેરમા તથા બળવંતભાઈ રણજીત ભાઈ હેરમાએ અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં જણાવાયું હતું કે, વ્યવસાયીક લેવડદેવડના ભાગરૂપે તે ચેક આપવામાં આવ્યો છે અને તે પરત ફર્યાે છે. બંને પક્ષ દ્વારા રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપી જેસાભાઈને દોષિત ઠરાવ્યા હતા. તે હુકમ સામે ચેકની રકમની ૨૦ ટકા રકમ અદાલતમાં જમા કરાવી સેશન્સ કોર્ટમાં આરોપી પક્ષે અપીલ નોંધાવી હતી.
અપીલ ચાલી જતા અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે અને જમા કરેલી રકમ ૩૦ દિવસમાં અપીલ નોંધાવનારને પરત આપવામાં આવશે તેવો હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ સંજય આંબલીયા તથા તેમની એસો.ના વકીલ એન.ડી. ગોજીયા, સુરેશ ચાવડા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial